શુક્રવાર, 23 માર્ચ, 2012

એરેન્જ મેરેજ વધારે સફળ છે !! અને લવ મેરેજ ઓછા !!

રાજ બાપા ને  ચિંકી એ પુછ્યું  આવું કેમ છે કે એરેન્જ મેરેજ વધારે સફળ છે !! અને લવ મેરેજ ઓછા !! આકડા ઓં  તો  એવું કહે છે એરેન્જ મેરેજ ૯૦ ટકા સફળ છે જયારે લવ મેરેજ માત્ર ૪૦ ટકા !! કારણ શું ?
રાજ બાપા એ જવાબ આપ્યો અરેંજ મેરેજ માં હસબંડ મળે છે ! જયારે લવ મેરેજ માં લવર !!!

પતિ અને લવર માં આસમાન જમીન નો ફર્ક છે !! જોકે લવર ને પતિ જેટલી જવાબદારી  નથી હોતી એટલે મજા કદાચ ત્યાં જણાતી હોય છે !!!  અને જો કર્મ માં લવર જ ભટકાયો તો તેને હસબંડ તરીકે કેળવવા માં સમય કાઢવો  પડે છે !!
જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર રાહુ ચંદ્ર  મંગલ નો વિચાર કરવો જરૂરી બને છે !!

अक्षर का लेना देना

मंत्रो से लेने देना ??? ये क्या बात है !! सच तो ये है की शब्द बड़ी चीज है !! कर्म कांड में मंत्रो का प्रभाव है !!और संसार में हमें देखा है के कई लोग मंत्रो करके नियमित जीवन में शांति पा रहे है !! सफल लोगो में कोई नियमित एक ही चीज का दोहराते रहना उनकी प्रगति में एक रिद्हम पैदा करता है !!शास्त्र में कहा है जप में बड़ी ताकत है !!हजारो सालो से हमारे बुजर्गो का यह अनुभव है !! कभी मस्जिद से इश्वर के नाम की आवाज़ ध्यान से सुनो !!मंदिरों से आते घंट नाद को सुनो !!ध्यान में बैठ कर सांसो के सुरताल को पहेचानो !!! शब्दों के अक्षरों की कमल तो देखो कोई अपनी माँ को मम्मी कहता है!! कोई बा !! कोई अम्मा !! कोई तो मोम !!...लेकिन सब माँ को ही बुलाते है !! लेकिन माँ को जो शब्द से ताल बैठ गया है उससे ही है उसका जागना !! रहीम कहो या अल्लाह !! लेकिन आपको अक्षर का लेना देना  जरुर है !! बस इस ताल को खोजते है ज्योतिष नुमेरोजी  वाले !! अगर आपके प से नाम है तो राधिका से लाभ ज्यादा होगा नहीं के लक्ष्मी से !! यहाँ र और ल का अंक सम्बन्ध है !!हरेक अक्षर के वेवलेन्ध है !! यह ताल करके देखे !! महादेव बोले तो म है किन्तु शिव बोले तो श है !!  जैसे र को ज्यादा लाभ है व् ह वि. से ,क को लाभ है ग से .. वगैरह
 જ્યોતિષ શાસ્ત્ર માં અક ડ મ   ચક્ર ,મંત્ર સુસાધ્ય વિગેરે નો હેતુ આ જ છે .આ જ વાત વસ્તુ શાસ્ત્ર માં છે ગ્રામ કાં કણી !! ગૃહ આય !!

ગુરુવાર, 15 માર્ચ, 2012

સંસાર ત્રાસ છે !

જન્મ્યા પછી ક્યાં તમને આગ્રહ કર્યો છે કે જંગલ માં ન જ રહો !! તમને જ શોખ જાગ્યો છે સમૂહ માં રહેવા નો ! ભગવાને તો કહ્યું છે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते !! મન ને જીતી નથી શકાતું પણ અનુભવ અને વૈરાગ્ય થી તેને વશ જરૂર કરી શકાય છે !!એકાંત નું ય મહત્વ છે . તમે થોડો સમય એકાંત માં રહો તો સારું લાગશે !! અજમાવી જોજો !! આતો સંસાર નું ચક્કર એવું છે કે લક્કડ શી  લાડુ !! ખાવા ય છે ને તકલીફ પણ નથી વેઠવી !!
રાજ બાપા ને પ્રશ્ન પૂછ્યો તો !! તેમને તો કહ્યું કે સંસાર માં સ્ત્રી ને પુરુષ કરતા વધુ સમજણ છે.પણ પુરુષ ને સ્ત્રી માં રસ છે અને અહંકાર ને પોષવો છે .બાકી ક્યાં બુદ્ધ ,મહાવીર ના ઉદાહરણ નથી !!પણ બુધ્ધુ બનવા નો મોહ પોતાને જ થયેલો છે અને સંસાર ને ત્રાસ ત્રાસ કરે છે !! વૈરાગ્ય ની તૈયારી નથી અને અનુભવ થી શીખવું નથી !! અને પછી સંસાર અસાર છે એ કેવી વાહિયાત વાત છે !! મને તો વૈરાગ્ય ના ભાષણો ઠોકતા બાવા મોલવી સંતો  સીટી માં કેમ આંટા મારે છે એ જ સમજાતું નથી !!! તમને સમજાતું હોય તો કહો ? 

સોમવાર, 5 માર્ચ, 2012

સંસાર રૂપ

આ સંસાર રૂપ પરમેશ્વર ખુબ કઠીન છે.જેમાં માયા નો રંગ ખુબ છે !!પણ એય  પરમેશ્વર ની જ કળા છે !!તેને જે ભોગવે એ જીવી જાણે છે !!
જ્ઞાન થયા પછી ય કેમ ખેદ થતો હોય છે ?
 જ્ઞાન થતા ની સાથે અહંકાર સાત્વિક રૂપે   ઉદ્ભવે છે !સાત્વિક પાના નો અહંકાર જાગે છે !! મને અહંકાર નથી એમ લાગવું એ સૌથી મોટો અહંકાર છે !!!અને તરત જ રજ: તમ: ના ભેદ પાડે છે. અને તે સાથે જ આ બીજું  અને આ જ્ઞાન  એ બે ભાગ પડે છે . જ્ઞાન ને સાચવવા ની જવાબદારી ઉપરાંત આ બીજા ની માયા માં ભ્રમણ શરુ કરે છે. અને આ પ્રશ્ન પૂછે છે !!
ત્રિવિધ થી દ્વિધા તરફ જવાનું હોય છે .મોટે ભાગે  પરિશ્રમે દ્વિધા સુધી પહોચાય છે. અહી  પૂર્ણ આત્મ બની શકાતું નથી !!પણ કોઈ વાર અનુભવ થયા પછી પાછા આવી જવાય છે .અહી જ મને આમાં ગુરુ તત્વ દેખાય છે .આ ગુરુ અને હું એ એક સ્થિતિ.બીજી તે !!
તમે અને પ્રભુ  !!
અર્થાત હું અને પરમાત્મા એમ બે વિભાગ પડી જગત રચાય છે !!ફક્ત પરમાત્મા થી સમાધિષ્ઠ તા આવે છે !!આમ   પરમાત્મા માં જ પ્રકૃતિ છે !!જીવન એ તો પ્રભુ પૂજા છે !!!
આ જગત પ્રકૃતિ માં છે.પ્રકૃતિ પોતે પરમાત્મા માં જ છે !!પરમાત્મ અંશ પ્રકૃતિ માં ય છે મારામાં ય છે !! પણ હું અને પરમાત્મ અંશ જગત માં ય છી એ !!! જગત  મારા તથા પરમાત્મા નો જાણે કે સંવનન પરીપાક છે !! જ્યોરે હું તો પરમાત્મ અંશ છું !!
આ  નિદ્રા સ્વપ્ન જાગૃત લોક માં ફરતો રહું છું !! આ મને થતું સ્વભાન છે !!
http://www.youtube.com/watch?v=Y_R2BJ7CVbk&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ&index=5

ધૂન

સ્મરણ માં ય શ્રેષ્ઠ સ્મરણ નામ પ્રભુનું જ સાબિત થાય છે !!તેથી જ નામ સ્મરણ નો સરળ મહિમા પ્રસિદ્ધ થતો આવ્યો છે !! ધૂન !!!

પરમાત્મા સહેલાઇ થી જણાશે

પરમાત્મા ને શોધવો હોય તો વિચારો થી જ શોધવો પડશે !! વિચારો કરતા થાકી જશો !!ખુબ થાક લાગશે ત્યારે તમને વિચારોની દુનિયા પર તિરસ્કાર થશે !.માટે એકાંત માં પ્રકૃતિ ને નિરખો !! અહા ! તમે ખોવાઈ જશો !! કુદરત માં પરમાત્મા  સહેલાઇ થી જણાશે !! ઇન્દ્રિય ગ્રાહ્ય  છે .આ બન્ને નો તાલ મળતા જ પરમાત્મા નો અનુભવ થશે .પરમ કૃપાળુ પરમ આત્મ તત્વ જેટલો આપણી નજીક એટલું બીજું કશું જ નથી !!
મન મૂરખ તું કહાં  ફિરત હૈ હારી તો તેરે પાસ !
આ વાત સમજાશે જ્ઞાન થી !! જીવન ના તમામ દુઃખો વિકારો શાંત થઇ જશે .આજ વાત તમને તમારા સ્વધર્મ (પોતાના કર્તવ્ય )નું પાલન કરવા માં જોડી દેશે .

ગુરુવાર, 1 માર્ચ, 2012

પાડો જીતે કે તમે

હર એક  વ્યક્તિ તમારી વાત તરત જ સમજી શકશે નહિ !! આ વાત નું જ્ઞાન મને કોલેજ માં લેકચરર તરીકે કામ કરવા થી સમજાયું છે' આપણો આગ્રહ સતત આવો જ રહે છે કે સામે બેસેલી વ્યક્તિ આ વાત સમજે !! પણ એક વાત એ પણ છે કે બધાની બુદ્ધિ એટલી બધી હોતી નથી !! નહી તો આખો ક્લાસ પહેલો નંબર લાવે !!તેથી સામેની વ્યક્તિ સમજે તેની રાહ જોવાની તૈયારી હોય તો આ માથાકૂટ માં પડો !! તમારા જ્ઞાન ને તમારી પાસે રાખો સામે ની વ્યક્તિ માં રહેલા અજ્ઞાન ને ધ્યાન માં રાખી ધીરે ધીરે પીરસતા શીખો !! ઘણા કલાક માં સમજશે ઘણા બે ચાર દહાડે અને ઘણા વર્ષે !! કે પછી વર્ષો જતા !!
મને સંત જ્ઞાનેશ્વર ની પાડાને વેદ ભણાવ્યા હતા !! આ વસ્તુ મને એટલા માટે ધ્યાન દોરે છે કે એવા કેટલાય લોકો આપણ  ને ભટકાતાં હોય છે કે તમે એમને ગમે તેટલું સમજાવો પણ તે પાડાની માફક જાણે ન જ સમજુ એવી હઠ લઈ ને બેઠા હોય એમ લાગે છે !!હવે પાડો જીતે કે તમે એ ખેલ માં પડવું હોય તો પડો !! સંત જ્ઞાનેશ્વરને તો  લાખ લાખ વંદન !!
જો જો મિથ્યા વાળ વિવાદ માં પડશો નહિ !! નહી તો મિત્રો ગુમાવવા નો વારો આવશે !! શરૂઆત કરીએ લાઓ હું મને જ પ્રશ્ન પૂછું  "પાડો મારા માં તો છુપાયો નથી ને ?"
આ કકળાટ ગાલીબ ને પણ થઇ ચુક્યો જ છે !!મિર્જા ગાલીબ ની એક પંક્તિ મઝાની છે !!
એ સમજ્યો નથી અને કદાપી સમજવા  નો ય નથી !!!!





સ્ટેજ પર બેસવા નો ક્રમ

કોઈ પણ સમારંભ હોય તો તેમાં સ્ટેજ ઉપર બેસાડવા નો ક્રમ હોય છે !! જુના ગ્રંથો માં સંસ્કૃત માં ક્રમ ઉચિત જ હતો.સૌથી પહેલા વિદ્યાવાન ને બેસાડવામાં આવતા !! પછી જેતે કર્મ હોય તે કર્મ પ્રધાન વ્યક્તિ ને .પછી ઉંમર વાળા વડીલ ને .પછી સગા સંબંધી બંધુને .છેલ્લે ધનવાન શ્રેષ્ઠી ને !!

ગુરુ ના ધંધા વાળા

દત્તાત્રેય જે ગુરુ ઓ ના ગુરુ છે. તેમને ૨૪ ગુરુ ઓ કાર્ય હતા .તમારા થી કશુક પણ વધુ છે તે તે વિષય માં તમારો ગુરુ જ છે .ઉદાહરણ રીતે એક કરોડપતિ પૈસા કમાવવા માં પાવરધો છે પણ તેને રાગ સંગીત નું જ્ઞાન નથી.તેથી પૈસા ની બાબતે તે ગુરુ છે પણ સંગીત માં તેને બીજા સંગીત ના જાણકાર ને ગુરુ માનવો જ રહ્યો !! આજે ગુરુ ના ધંધા વાળા ને પોતાનો ઘરાક બીજે જતો રહે તેનો ભય સતત દેખાઈ આવે છે !! તેથી પોતાનો શિષ્ય બીજે જતો ના રહે તેથી બીજો ગુરુ ના કરાય આવી બુદ્ધિ વિહીન વાત કરતા હોય છે જાણે કે પોતે સર્વે વિષય ના જ્ઞાની !!તેથી જ મને દત્તાત્રેય ખોવાઈ ગયા છે તેનો અણસારો આપતી કેવલાનંદજી  ના વાક્ય નો ઈશારો સમજાય   છે !!
પણ હવે તો ધર્મ રાજકારણ અને શિક્ષણ એ તો ધંધો જ છે ને !!