સોમવાર, 28 મે, 2012

વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !!

જુવાની ના જોર માં આપને ડોસલા ઓં ને ભાંડી એ છીએ !! પણ ખુબ વિશ્લેષણ પછી સહજ રીતે સમજાય છે કે ઘરડા ઓ ને આપણે વધારે પડતા અવગણી ને ચૌદશીયા ને  ફોલો કરતા હોઈ એ છી એ !! મીઠાંથી  દાંત ચોખ્ખા  થાય તે તો પહેલે થી ઘરડા ઓ કહેતા આવ્યા છેં !! રાજ બાપા એ  આ પ્રશ્ન નો જવાબ  આપ્યો કે  મારા પિતા ને મારા દાદા એં કહ્યું હતું  કે ધન્તુરા ને  ખાવો નહિ !! મારા પિતા એ પૂરી જીંદગી  ચાખ્યો  જ નહિ !! આ  જ વાત મને કહી હતી .હવે તેમાં શું ખોટું છે !! વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !! બીજું શું ? વડીલો એ કહ્યું એ એમનો અનુભવ છે !! આગળ ની પેઢી દ્વારા તમને મળતી મોટી ગાઈડ લાઈન  છે !! દારૂ ન પીઓ  !! તમાકુ ના ખાઓ !! સેકસી આકર્ષણો થી ન  લલાચાઓ !! દુષ્ટ રાજકર્તા  ની પ્રશંશા ન કરો !!!...આ માં જુના ઓ ક્યાં ખોટા છે ?ઐડસ ,લીવર ,કેન્સર ....

આપણી જ રામાયણ !!!

 બધા ય ને  કામ કરી   કાં    તો   પૈસા લેવા છે કાં  તો યશ ! નેતા ઓં માટે તો યશ કીર્તિ જ જરૂરી હોય છે અને  એ ઈલેક્શન ના ટાણે જ !!  મત માટે ગુંડા તોફાની હુલ્લડ ખોરો ના વખાણ કરતા અચકાતા નથી સારા પંડિતો ને મુર્ખ સાબિત કરવા લાગે છે !! ખોટા મંદિરો મસ્જીદો ના બાંધકામો ને યોગ્ય ગણાવે છે !! ધર્મ જનુની ઓ ને ઓર ઉશ્કેરે છે !! આ બધું કોમન છે !! માટે જ સૌથી વધુ જરૂરી છે સાચા આત્મબળ ની !! ફાયદો થતો હોય તો ગાંધી વિનોબા ને સંત બનાવી દે છે !! નવા દેશો અને રાજ્યો બનાવી દે છે !! લાલચુ ઓં ને ખબર નથી કીર્તિ અને પૈસા ના ગાંડપણ માં તમે શું કરી રહ્યા છો !! આ જ દશા મતદારો મોટાભાગ ના કરે છે !! ગુંડા ઓ ને જીતાડ નાર તો તમે જ છો !! ખોટા વ્યક્તિ ને મદદ રૂપ થવું એ પણ ગુનો જ છે !!!જો કે   દંડ  આપણે વારં વાર ભોગવીએ છીએ !! હડકાયું કુતરું  પાળનારા એ ખાલી કુતરા ને દોષ દેવો વ્યાજબી નથી !! ઘણી વાર ધોબી પણ  રામાયણ નું કારણ બની શકે છે !!! જો બધા એ ભેગા મળી ને ધોબી ને જ ધીબી કાઢ્યો હોત તો રામ દુખી થાત નહિ અને ન ઉભી થાત રામાયણ !! આ બધી આપણી જ રામાયણ નથી લાગતી?

ગુરુવાર, 3 મે, 2012

તું હી તું હી !!!

જીજ્ઞાસા ઓ નો અંત !
પૃથ્થ ક્ક ર ણો  નો સાર !!
તું હી તું હી !!!


દુ:ખ રોગ તો ઈશ્વર ની પ્રસાદી છે .અરે રસી મૂકી છે રસી !!
 સુખ સ્વાદ આનંદ ઈશ્વર ની કૃપા છે  સાચવજે વધુ પડતું ખવાઈ ન જવાય !!!

શ્રદ્ધા જીતે કે પ્રેમ ? જવાબ છે શ્રદ્ધા !!!

જ્યાં પોતાનું કશું જ નથી !!
જેનું કઈ છે જ નહિ !!
ત્યાં ભય ક્યાંથી હોય !!

જ્ઞાની પણ જન્મે છે અને મરી  પણ જાય છે !!
અજ્ઞાની ભટકે છે !!!

બુદ્ધિ જ્ઞાન થી દર્શન અનુભવાય !!
પૂર્ણ દર્શન શક્ય જ નથી !!

શરીર અને મન બંને ય બદલાતી ચી જો  છે !!


શ્રમ કર

   મન સતત કાર્યરત હોય છે ! ઊંઘી જઈએ ત્યારે જ શાંત થાય છે !! ઊંઘ શ્રમ વિના શક્ય નથી .માટે હે જીવાત્મા મન ના તોફાનો ને કંટ્રોલ માં લેવા માટે પણ શ્રમ કર !!
યોગીન: કર્મ  કુર્વન્તિ આત્મ્શુધ્ધ્યર્થમ ! યોગી ઓ પણ કર્મ કરે છે મન ને વશ માં રાખવા ! કારણ કે મન માંકડા જેવું છે !! તેને સતત પ્રવૃત્તિ માય રાખવું જ પડે ! આમ કર્મ નું મહત્વ મન ના લીધે પણ છે 

તારો ભ્રમ છે

   જે તારું નથી તે પ્રભુનું છે .

હે  મૃત્યુગામી જીવાત્મા !! 

જે તારું તને લાગે છે એ તારો ભ્રમ છે !!!