શનિવાર, 27 જૂન, 2015

બુધ્ધિશાળી ઓ ઓછી બુદ્ધિ વાળા ને લુંટે એ છેતરામણી નથી ?

બંને ગુરુઓ એ જુદા જુદા ધર્મો  શરુ કર્યા  !! છગન મગન બંને  એ ગુરુ વહેચી લીધા !! પણ પડ્યો ઝગડો  !! છગન કહે મારા ગુરુ  તારા ગુરુ કરતા સારા દેખાય છે !! મગન કહે મારા ગુરુ સારા દેખાય છે !! પછી તો ખુબ લડાઈ થવા માંડી  !! છેવટે બંને મારી ગયા  !! બંને ગુરુઓ ટેન્શન માં આવી ગયા  !! રાજ્બપા પાસે ગયા  !!
રાજ્બપા આવું કેમ થયું ? રાજબાપા  એ જવાબ આપ્યો તમે બંને સરખા હોત તો આ પ્રશ્ન થાત ??
એક જ પરમાત્મા ની વાત કરવી છે ને જુદા જુદા પડીકા ?? તમારો ધંધો કરવા માં લોકો ના જીવ શું કરવા લો છો ? બુધ્ધિશાળી  ઓ ઓછી બુદ્ધિ વાળા ને લુંટે  એ છેતરામણી નથી ?


" આ સંસાર આપણો નથી !! "

મન્સુર દોડતો આવ્યો !! હવે સમજાઈ  ગયું  " આ સંસાર આપણો  નથી !! "
રાજ બાપા બોલ્યા શાબ્બાશ તો હવે ચિંતા શાની કરે છે ?
વૈરાગ્ય નો ઉપદેશ આપી શકાય છે !! જીવન માં જાતે ઉતારવો જ અઘરો છે !! ગમે તેટલો અનુભવ હોય પણ તેની સાથે વૈરાગ્ય વિના મન ને કંટ્રોલ કરી ન શકાય !!
...
તું જે કઈ લખી રહ્યો છે તેને જે વાંચશે તે બધાય નાશવંત જ છે ,,,! લખનાર પણ નાશવંત જ છે.માત્ર આ જડ પ્રક્રિયા જ ચાલે છે.તેની પોતાની ગતિ છે. આ તો જાણે દૂધ માં થી દહીં બની રહ્યું હોય અને બેકટરેરિયા ઓ બિચારા એમના જીવન વિશે વાતો યોજના માં ખોવાઈ સંસાર ના ભાષણો દીધે રાખતા હોય .



મંગળવાર, 23 જૂન, 2015

બોલો હવે આમાં કોની ભૂલ ?

એક ઝાડ ઉપર સુગરી એ સુંદર માળો બનાવ્યો હતો.સુગરી નો માળો એટલો સુંદર હોય છે કે તેમાં પાણી નું ટીપું ય ન આવે  !! ટાઢ તાપ વરસાદ  કોઈ ચિંતા નહિ  !! તે ઝાડ પર વાંદરો ય રહેતા હતા.તે ઓ વરસાદ માં  ધ્રૂજે  ઠંડી સહન કરે કારણ કે માળો બનાવતા નહિ। જાત જાત ના ફળો ખાય ઠળીયા  નાખે સુગરી ના બચ્ચા ઓ કુટુંબ ને એ ખાવા ય મળી રહે. આમ આનંદ થી તેમનું જીવન પસાર થાય છે !!
આજ વાર્તા ખોટી રીતે જુઓ !!
એક ઝાડ ઉપર સુગરી એ સુંદર માળો બનાવ્યો હતો.સુગરી નો માળો એટલો સુંદર હોય છે કે તેમાં પાણી નું ટીપું ય ન આવે  !! ટાઢ તાપ વરસાદ  કોઈ ચિંતા નહિ  !! તે ઝાડ પર વાંદરો ય રહેતા હતા.તે ઓ વરસાદ માં  ધ્રૂજે  ઠંડી સહન કરે કારણ કે માળો બનાવતા નહિ।સુગરી ને થયું આ લોકો ને સમજાવુ। તેને કહ્યું વાંદરા ભાઈ તમે અમારી માફક ઘર બનાવી ને રહો ને શા માટે વરસાદ માં પલરી  ને દુખી થાઓ છો ? પણ વાંદરા ની જાત। .બહુ મોટુ  ઘર બનાવ્યું છે ને અભિમાન કરે છે  એમ બોલી સુગરી નો માળો  પીંખી નાખ્યો !! બચ્ચા મારી ગયા !! ઈંડા ફુટી  ગયા !! બોલો  હવે આમાં કોની ભૂલ ?


સરળ ધની કે જ્ઞાની ની કરુણતા એ છે

સરળ  ધની  કે જ્ઞાની  ની કરુણતા એ છે કે પોતે અહંકારી તો નથી દેખાતો ને ??  આવા પ્રકાર ના એક ગ્રંથી બંધન માં ફસાતો તણાતો  જતો હોય છે ! તેથી વધારે પડતા વિવેક ને લીધે સમાજ ને નુકશાન થવા દે છે। આવો એક વિચિત્ર વામણો  વર્ગ છે તેને કેટલોક યુક્તી બાજ  વર્ગ પોષ્યા કરતો હોય છે। અને આવા જૂથ ને તે મિત્ર વર્ગ માની બેઠો હોય છે !! તમે કીર્તિ માટે કે ધન માટે કઈ પણ કરતા હો તો તે તમારી બાબત છે !! તે તમારું પોતાનું અર્નિંગ છે પણ તમારા અર્નિંગ માટે તમે અન્ય ને નુકશાન તો પહોચાડી રહ્યા નથી ને ?