ગુરુવાર, 19 એપ્રિલ, 2012

છોકરા ઓ મહદ અંશે

હમણા આઈ ટી માં ભણવા ની પડાપડી છે !! જો તેમાં ભણવા થી જોબ હવે નહિ મળે એવું થઇ જાય તો બધી સીટો લગભગ ખાલી પડે !! જ્ઞાન માટે કોઈ ભણાતું નથી !!એક જમાના માં બી એ ની મોટી વેલ્યુ હતી !! આજ વસ્તુ મેં કોમર્સ આર્ટસ વી માં જોઈ છે !! જે છોકરા ને ધારેલી લાઈન ના મળે તે  નિરાશ થઇ જાય છે .પછી એડમીશન તો લે છે પણ હવે ખાલી કોલેજ માં મસ્તી કરી એન્જોય કરીએ બસ એ ધ્યેય થી દાખલ થાય છે ભણતા નથી અને રખડે મસ્તી કરે છે.પણ છોકરી ઓ આમ કરે તો બરોબર ના લાગે તેથી મોટાભાગ ની ક્લાસ માં બેસતી હાય છે .દુખદ ઘટના તો પછી શરુ થાય છે મોટા ભાગ ની છોકરી ઓ પાસ થાય છે ડીગ્રી ઓ મેળવે છે !! ઓછા ભણેલા છોકરા પસંદ નથી કરતી !! અને પેલા છોકરા ઓ પોતાનાથી વધુ ભણેલી છોકરી પસંદ કરતા નથી !! ઘણી વાર છોકરી ઓને આશ્ચર્ય એ થાય છે કે મારા થી ઓછા ભણેલા છોકરા ઓ કેમ મને ના પાડે છે !!! પણ તમે ધ્યાન થી જોશો તો ઘણી વાર અહી સ્કોલર છોકરા ઈજનેરી કે મોટી ખ્વાઇશ પૂરી ના થવા થી ખાલી જ કોલેજ માં ડીગ્રી માટે ભણ્યા હોય છે ! છોકરા ઓ મહદ અંશે શેમાં આર્થીક આવક સારી થાય એ વિષય ને જ મહત્વ આપતા હોય છે .

લક્ષ્મી આશીર્વાદ

જમનાશંકર ખુબ પૂજાપાઠ કરાવી ગોરપદુ ધંધો કર્યો. તેમના ઘણા યજમાનો લખપતિ થઇ ગયા પણ તેમની એ જ સ્થિતિ માં ખાસ ફેર ના પડ્યો ! તેમને રાજબાપા ને પ્રશ્ન કર્યો મારા ઘણા યજમાનો જેમની મેં પૂજાવિધિ કરાવી તે ધનવાન થઇ ગયા છે .મારું કેમ સુધરતું નથી !!રાજબાપા એમની રીતે હાસ્ય અને કહ્યું જો તમે પૂજા કરવો તે વખતે સોપારી માં લક્ષ્મી ગણેશ વિગેરે ની પૂજા કરો છો ને !! જમનાશંકર કહે "હા" .રાજબાપા એ કહ્યું અને યજમાન એ લક્ષ્મીને ગણેશને પ્રાર્થના કરે છે ને !!જમનાશંકર કહે "હા". પૂજા પૂરી થયા પછી સોપારીઓ લઇ જાઓ છો ને ? જમનાશંકર કહે "હા"..રાજબાપા એ કહ્યું  તો પછી ભગવાન ક્યાં ખોટા છે !! લક્ષ્મી આશીર્વાદ યજમાને લીધા.તમારે ત્યાં સોપારી આવી !!.કારણ કે યજમાને તો સોપારી જોઈ જ નથી તે તો તેને લક્ષ્મી જ જોતો હતો !!

અરે તો આ કુદરતે મન કેમ બનાવ્યું હશે?

મન વિષે આપણે કશું જ સમજી નથી શકતા !! અરે તો આ  કુદરતે મન કેમ બનાવ્યું હશે? 
રાજ બાપા એ સરસ કહ્યું --આ કર્મ તો અહી જ સંસાર ના છે. તમે બંગલો બનાવ્યો કે ઝાડે ક્લોરોફીલ બનાવવા  ઓક્સીજન તૈયાર કર્યો તે તો તમારા મરી જવા થી તમારી સાથે થોડો આવવા નો છે?બધા જતા રહે છે પણ તેમના કર્મો અહી જ પડી રહે છે આ સંસાર માં !!! તાજ મહાલ છે !! શાહજહાં નથી !!!તેમ કુદરતે તમને મન નામ ની એક આવી ચીજ આપી છે જે નવરી બેસી શકતી  જ નથી !! જો નવરી બેસી રહે તો તમને ખોટા વિચારો ટેન્શન  ભય ચિંતા વિગેરે માં ખેચી જશે !!તેથી મહા પુરુષો એ મન ને વશ કરવા કર્મ માં જોડાવવા ભલામણ કરી છે !! અને કર્મ તો કુદરત ની પાસે જ રહેવા નું છે !! એમ કરી ને કુદરત કામ કઢાવી લે છે !! તમે તો બીજા પ્રાણિયોની   માફક કુદરત નું એક સાધન જ છો !! તમારી પૃથ્વી જેવા તો અગણિત ગ્રહો તારા ઓં છે !!! મન કઈ એમનેમ બનાવ્યું નથી !! તમારી પાસે થી ય કૈક કામ કાઢવી જ લેશે !!