ગુરુવાર, 19 એપ્રિલ, 2012

અરે તો આ કુદરતે મન કેમ બનાવ્યું હશે?

મન વિષે આપણે કશું જ સમજી નથી શકતા !! અરે તો આ  કુદરતે મન કેમ બનાવ્યું હશે? 
રાજ બાપા એ સરસ કહ્યું --આ કર્મ તો અહી જ સંસાર ના છે. તમે બંગલો બનાવ્યો કે ઝાડે ક્લોરોફીલ બનાવવા  ઓક્સીજન તૈયાર કર્યો તે તો તમારા મરી જવા થી તમારી સાથે થોડો આવવા નો છે?બધા જતા રહે છે પણ તેમના કર્મો અહી જ પડી રહે છે આ સંસાર માં !!! તાજ મહાલ છે !! શાહજહાં નથી !!!તેમ કુદરતે તમને મન નામ ની એક આવી ચીજ આપી છે જે નવરી બેસી શકતી  જ નથી !! જો નવરી બેસી રહે તો તમને ખોટા વિચારો ટેન્શન  ભય ચિંતા વિગેરે માં ખેચી જશે !!તેથી મહા પુરુષો એ મન ને વશ કરવા કર્મ માં જોડાવવા ભલામણ કરી છે !! અને કર્મ તો કુદરત ની પાસે જ રહેવા નું છે !! એમ કરી ને કુદરત કામ કઢાવી લે છે !! તમે તો બીજા પ્રાણિયોની   માફક કુદરત નું એક સાધન જ છો !! તમારી પૃથ્વી જેવા તો અગણિત ગ્રહો તારા ઓં છે !!! મન કઈ એમનેમ બનાવ્યું નથી !! તમારી પાસે થી ય કૈક કામ કાઢવી જ લેશે !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો