- મન સતત કાર્ય રત હોય છે !! નિદ્રાધીન થઇ જઈએ ત્યારે જ શાંત થાય છે !! નિદ્રા શ્રમ વિના શક્ય નથી. માટે જ મન ના તોફાનો ને બંધ કરવા માટે પણ હે જીવાત્મા શ્રમ કર !!!
- મળે નિદ્રા શ્રમ થી
- દુર થાય ભય જ્ઞાન થી
- ક્ષુધા અંત થાય આહાર થી
- જીજ્ઞાસા ઓં નો અંત ! પૃથ્થક્કરણ નો સાર-- તૂ હી તૂ હી !!!
લાગણી ના પ્રયોગો હંમેશા દુખ દાયક જ હોય છે !!
કલ્પના રંગ વિચારો માં પૂરી દૃઢ ચિત્રણ કરે છે .પછી પોતાને જ ડરાવે છે ! હસાવે છે !! અરે અતો સતત બદલાતી વસ્તુ છે !! આ તો એક પવન છે !આજ દશા ગીત સંગીત કળા રાગ ચિત્ર રમત માં આવી મળે છે !! માટે જ યાદ રાખ હે જીવ મન ની પવિત્રતા જ સાચી પવિત્રતા છે !!
- જે તારું નથી તે પ્રભુ નું છે અને જે તને તારું લાગે છે તે ભ્રમ છે !!
- જ્ઞાની જન્મે છે અને મરે છે !!! જયારે અજ્ઞાની કેવળ ભટકે છે !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો